અમદાવાદ જીલ્લાના દેત્રોજ તાલુકાના શોભાસણ ગામ ખાતે શ્રી રામદેવપીર ભગવાનનું ખૂબ જ સુંદર મંદિર નિર્માણ થયું છે, જે મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યારે યોજાઈ રહ્યો છે, જેના આજે દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ ત્રિદિવસીય મહોત્સવ 21 22 તથા 23 એપ્રિલ દરમિયાન યોજાશે જેમાં યજ્ઞ પૂજન શોભાયાત્રા, રાસ ગરબા સહિત શ્રી રામદેવપીર ભગવાન તથા શ્રી જોગણી માતાજી અને શ્રી ગોગા મહારાજની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે તથા અંતિમ દિવસે રાત્રિના 33  જ્યોતના દિવ્ય પાઠનુ પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભવ્ય સંતવાણી પણ યોજાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી રણજીતસિંહ ઠાકોર, શ્રી બીપીનભાઈ પટેલ, શ્રી રમણભાઈ પટેલ, શ્રી કમલેશભાઈ વાળંદ, અને શ્રી જીગર ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Maharaj Pran Pratishtha Mahotsav Shobhasan Detroj

Shree Ramdevpir Maharaj Mandir, Pran Pratishtha Mahotsav, Shobhasan, Detroj,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *