અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના બદરખા ગામ ખાતે રબારી વાસમા શ્રી વિહત, મેલડી તથા ખોડિયાર માતાજીનુ નવીન મંદિર નિર્માણ પામ્યુ છે, જેને મેરાજ મગાની વિહત માતા તરીકે ઓળખવામા આવે છે, અત્યારે આ નવનિર્મિત મંદિરના દિવ્ય અને ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના આજે પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાઇવ ડીજે હાથી – ઘોડા બગીયો સહિતની ભવ્ય નગર યાત્રા સમગ્ર ગામમાં યોજાઈ હતી જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, સંતો મહંતો, ભુવાજીશ્રી, સ્નેહીજનો તથા હજારોની સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
આ ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 15 થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા સહિત ત્રિદિવસીય પ્રતિષ્ઠા યજ્ઞ તથા ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે તથા અંતિમ દિવસે દિવ્ય મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, અને ત્યારબાદ રાત્રીના ભક્તિ અને શક્તિરૂપી ભવ્ય રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી કનુભાઈ રબારી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Meraj Meghani Vihat Meldi Khodiyar Mataji Mandir Pran Pratishtha Mahotsav Badarakha Dholka
Meraj Meghani Vihat Meldi Khodiyar Mataji Mandir, Pran Pratishtha Mahotsav, Badarakha, Dholka, Ahmedabad,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *