ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડિયા ગામ ખાતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજી, શ્રી રામજી, શ્રી રાધાકૃષ્ણ, શ્રી હનુમાનજી તથા શ્રી ઉમિયા માતાજીના નવીન અને ભવ્ય મંદિરો નિર્માણ પામ્યા છે, જેનો દિવ્ય થી દિવ્ય અને ભવ્યથી ભવ્ય ત્રિ દિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 થી 18 જાન્યુઆરી દરમિયાન યોજાયો હતો, જેમાં ભવ્ય મહાયજ્ઞ, શોભાયાત્રા સંતવાણી, ડાયરો તથા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા સહિત ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તથા વિદેશથી પધારેલ ગ્રામજનો જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન અલગ અલગ મેડિકલ સુવિધાઓ તથા મેડિકલ કેમ્પનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના શ્રી સંદીપભાઈ પટેલ, સરપંચ શ્રી ભીખાભાઈ પટેલ, શ્રી પ્રવીણભાઈ, શ્રી સુભાષભાઈ તથા શ્રી અશોકજી ઠાકોર દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Aarsodiya Murti Pran Pratishtha Mahotsav 2023
Aarsodiya, Murti Pran Pratishtha Mahotsav, 2023, Kalol, Gandhinagar, Shree Kashivishwanath Mahadev Mandir,