અમદાવાદમા આવેલ શ્રી સૌરાષ્ટ્ર સઈ સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળ દ્વારા હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં સમાજના ઓછી આવકવાળા પરિવારો કે જે રોજ ઘરે કામ કરી ગુજરાન ચલાવે છે. તેમને સંસ્થા તરફથી રાશનકીટ આપવામાં આવેલ છે.
શરૂઆત માં અંદાજે ૭૦ કીટ માં ઘઉં, ચોખા, તુવેરદાળ તથા તેલ નો સમાવેશ કરવામાં આવેલ હતો, ત્યારબાદ આ કીટ માં ખાંડ નો પણ સમાવેશ કરવામાં આવેલ છે.

સમાજ ના અગ્રગણ્ય દાતાઓ દ્વારા સમાજ ના આર્થિક રીતે નબળા પરિવારો ને ૨૫૦ રાશનકીટ નું વિતરણ સમાજ ની વાડીથી કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ પ્રમાણે હજી પણ જરૂર જણાય તો આ સેવાયજ્ઞ અવિરત ચાલુ રહેશે.

આ સેવાયજ્ઞ માં સમાજ ના સભ્યો તરફથી ખુબજ સહયોગ પ્રાપ્ત થયેલ છે. જે બદલ સમાજ સૌ દાતાઓ નો હૃદયપૂર્વક આભારી છે.

વ્યવસ્થા માં સહભાગી કાર્યકરો :-
શ્રી પ્રવીણભાઈ પીઠડિયા
શ્રી હિંમતભાઈ હિંગુ
શ્રી કાંતિભાઈ જેઠવા
શ્રી ચંદુભાઈ ગોહેલ
શ્રી કનુભાઈ હીંગુ
શ્રી હિતુભાઈ સોલંકી
શ્રી સંજયભાઈ ગોહેલ
શ્રી હર્ષદભાઈ હિંગોળ

 

Shree Saurashtra Sai Suthar Gyati Hitechchhu Mandal Ahmedabad arranged Ration Kit Distribution

 

www.onlinegujaratnews.co.in

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed