અમદાવાદના સોલા વિસ્તારમાં જય ભોલે મિત્ર મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય કથાકાર પરમ પૂજ્ય ડૉ. લંકેશ બાપુની દિવ્ય અને ભવ્ય શિવકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવી રહી છે, એ જ રીતે છઠ્ઠા દિવસે ભવ્ય શિવ વિવાહનુ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવાહના યજમાન શ્રી અંકિતભાઈ પટેલના નિવાસ્થાનેથી દેવાધિદેવ મહાદેવ ની જાડેરી જાન જોડાઈ હતી, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા કપીરાજ અને ભુતડાઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં જાનૈયાઓ જોડાયા હતા, જે લાઈવ ડી જે વરઘોડાની સાથે કથા સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં ભવ્ય શિવ વિવાહ યોજાયા હતા, જેનો દરેક કથા શ્રોતાઓએ લાભ લીધો હતો.
આ કથા મહોત્સવ 23 થી 31 ડિસેમ્બર એમ નવ દિવસ દરમિયાન યોજાશે, જેમાં શિવ વિવાહ મહોત્સવ સહિત અંતિમ દિવસે ભવ્ય શિવ અભિષેક નું પણ આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત આયોજક શ્રી હેમંતભાઈ પટેલ તથા શ્રી અતુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Bhole Mitra Mandal Arranged Shivkatha of International Kathakar Dr. Lankesh Bapu at Sola Ahmedabad
Jay Bhole Mitra Mandal, Shivkatha, International Kathakar Dr. Lankesh Bapu, Sola, Ahmedabad, shiv vivah,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed