તાલુકા જિલ્લા ગાંધીનગરના વિરા તલાવડી ગામ ખાતે ઐતિહાસિક એવું શ્રી ખત્રી મહારાજનું મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ધનતેરસના પાવન પર્વનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં આજરોજ જયશ્રી ખત્રી મહારાજ યુવક મંડળ તથા ૩૦૨ ગ્રુપ દ્વારા શ્રી ખત્રી મહારાજના નિજ મંદિર ઉપર ધ્વજા આરોહણ કાર્યક્રમના ભાગરૂપે સવારે ભવ્ય શોભાયાત્રા તથા વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ દરમિયાન ધનતેરસના પાવન પર્વ નિમિત્તે રાત્રિના ભવ્ય દર વર્ષની જેમ ફૂલોના ગરબા નું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજરોજ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવશે.
મંદિર તથા ખત્રી મહારાજના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી ગામના સરપંચ શ્રી ચંદ્રકાન્ત ભાઈપ પરમાર દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Khatri Maharaj Mandir viratalavadi Gandhinagar Arranged Dhanteras Mahotsav 2023
Shree Khatri Maharaj Mandir viratalavadi, Gandhinagar, Dhanteras Mahotsav, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed