અમદાવાદ શહેરના સોલા વિસ્તારમા ગુજરાત હાઇકોર્ટની પાછળ શ્રી સાંઈ બાબાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને સાંઈ ધામ સોલા તરીકે ઓળખવામાં આવે છે,નઅહીંયા સાંઈ બાબા ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમામા બિરાજમાન છે, તથા મંદિરના સંકુલમાં અનેકવિધ દેવી-દેવતાના મંદિર પણ આવેલા છે, મંદિરના ટ્રસ્ટ શ્રી સાંઈબાબા સમાજ સેવા સંસ્થા દ્વારા અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે ટ્રસ્ટ દ્વારા અત્યારે અહીંયા શ્રી સાંઈ કથા પારાયણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે કથા મહોત્સવ 25 થી 29 જૂન દરમિયાન યોજાશે, જેમાં વક્તા શ્રી જીતુભાઈ સોની દ્વારા શ્રી સાંઈ બાબાના ખુબ જ સુંદર પ્રસંગો તથા કથાનું રસપાન કરવામાં આવશે, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભાવીક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના ટ્રસ્ટી ગિરીશભાઈ પટેલ, શ્રી બાલકૃષ્ણભાઈ પટેલ, શ્રી ઘનશ્યામભાઈ ગઢવી તથા શ્રી હિમાંશુભાઈ શાહ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Saai Dham Sola Arranged Shree Saai Katha Parayan 2023
Shree Saai Dham Sola, Sola, Ahmedabad, Shree Saai Katha Parayan, 2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed