અમદાવાદના અસારવા વિસ્તારમાં સંત કહારનાથ મહારાજનુ ખૂબ જ સુંદર મંદિર આવેલુ છે, સંત શ્રી કહારનાથ બાપુએ દેવીપૂજક પટણી સમાજના ધર્મ ગુરુ છે જે જ્યાં સમગ્ર સમાજને એમના પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા છે, આજરોજ ભાદરવી સુદ તેરસ ના શુભ દિવસે બાપુની પુણ્યતિથિ નિમિત્તે સંતશ્રી કહારનાથ ચેરીટેબલ ટ્રસ્ટ તથા દેવીપુજક પટણી સમાજ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમા મોટી સંખ્યામા શ્રદ્ધાળુઓ દ્વારા દાદાને ધજાઓ ચઢાવવામાં આવી હતી અને પૂજન અર્ચન કરવામાં આવ્યું હતુ.
આ શુભ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર તથા સ્થાનિક કાઉન્સિલર શ્રી મેનાબેન પટણી અને શ્રી દિશાંતભાઈ ઠાકોર તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત ટ્રસ્ટના પ્રમુખશ્રી પુનમભાઈ પટણી તથા અન્ય હોદ્દેદારો તથા સમાજના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
SantShree Kaharnath Charitable Trust Tatha Devipujak Patni Samaj Arranged Bhandaro on Bhadravi Sud Teras 19.09.2021
SantShree Kaharnath Charitable Trust, Devipujak Patni Samaj, Bhandaro, Bhadravi Sud Teras, 19.09.2021. shree kaharnath Maharaj mandir asarva, Ahmedabad, Online Gujarat News