ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકા ખાતે શ્રી બાસોબ્યાસી ગોળ હિન્દુ રાવળ- યોગી સમાજ દ્વારા ૫’માં ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ૨૯ નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી તથા સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ હર્ષ સાથે હજારોની સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.કાર્યક્રમ ની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી બી કે રાવળ તથા સંસ્થાના મંત્રી શ્રી સાગરભાઈ રાવળ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Shree Basobyasi God Hindu Ravad Yogi Samaj Arranged 5th Samuh Lagnotsav At Mansa On 25/03/2025