તાલુકા જિલ્લા ગાંધીનગર ના ઉવારસદ ગામ ખાતે ખાંટવાસમાં શ્રી નાગણેશ્વરી ચામુંડા માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, તે જ રીતે દરેક 30 જાન્યુઆરીના રોજ માતાજીના તિથિ મહોત્સવ નિમિત્તે દર વર્ષે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સમસ્ત રાઠોડ પરિવાર દ્વારા શ્રી નાગણેશ્વરી માતાજી ચામુંડા માતાજીના ભવ્ય સાતમા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મંદિર ખાતે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તથા રાત્રીના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર સુપરસ્ટાર શ્રી વિક્રમ ઠાકોર દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવશે, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માતાજીના દર્શન કરીને બંને સમયના ભોજન પ્રસાદનો લાહવો માણશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી મહોતજી ઠાકોર તથા શ્રી મહોબ્બતજી ઠાકોર અને શ્રી મહોતજી ઠાકોર દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Khantvaas Samast Thakor Parivar Celebrated 7th Patotsav of Shree Naagneshwari Mataji Chamunda Mataji Mandir Uvarsad Gandhinagar

Khantvaas, Samast Thakor Parivar, 7th Patotsav,  Shree Naagneshwari Mataji Chamunda Mataji Mandir, Uvarsad, Gandhinagar,

#Uvarsad #NagneshwariMataji #ChamundaMataji #Gandhinagar #7thPatosav #VikramThakor #KhantVaas #RathodParivar

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed