ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ગામ ખાતે છત્રાલા વાસમાં શ્રી અંબાજી માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મંદિરને 50 વર્ષ પૂર્ણ થતા સમસ્ત છત્રાલા પરિવાર દ્વારા અહીંયા ભવ્યથી ભવ્ય સુવર્ણ જયંતી મહોત્સવનું દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે સવારે ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આજ 2 દિવસનો કાર્યક્રમ 27 ત્તા 28 જાન્યુઆરી 2024 ના રોજ યોજાશે, જેમાં પ્રથમ દિવસે ભવ્ય શોભાયાત્રા સહિત રાત્રિના ટહુકાર બીટ્સના ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું છે તથા આવતીકાલે માતાજીના મંદિરના દિવ્ય સાનિધ્યમાં 11 કુંડીય મહાયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમસ્ત પરિવારજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો માતાજીના દર્શન કરીને બંને દિવસના ભોજન પ્રસાદનો લાહવો માણશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના છત્રાલા પરિવારના શ્રી પ્રહલાદભાઈ પટેલ તથા શ્રી અલ્પેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Shree Ambaji Mataji Mandir Chhattala Vaas Jamla arranged Suvarna Jayanti Mahotsav 2024
Shree Ambaji Mataji Mandir, Chhattala Vaas, Jamla, Suvarna Jayanti Mahotsav, 2024, Chhattala Parivar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed