પાટણ શહેરના ખાન સરોવર નજીક શ્રી કાહારનાથ મહારાજનું ખૂબ જ સુંદર સમાધિ મંદિર આવેલું છે, જ્યાં શ્રી કાહારનાથ બાપુની જીવંત સમાધિ આવેલી છે, આ મંદિર પ્રત્યે દેવીપુજક સમાજ તથા અન્ય સમાજને ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે, અને તેથી જ અહીં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ભાદરવી સુદ તેરસનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં ભાદરવા સુદ તેરસના રોજ અહીંયા મહા મેળો યોજાય છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી પધારેલ ભાવિક ભક્તો મહારાજના દર્શનાર્થે ઉમટી પડે છે અને અહીંયા હોમ હવન તથા ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ ભક્તો દ્વારા અહીંયા નેજા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવે છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી પૂનમભાઈ પટણી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Kaharnarh Maharaj Samadhi Mandir Patan Celebrated Mahamelo On Bhadarva Sud Teras 27.09.2023
Shree Kaharnarh Maharaj Samadhi Mandir, Patan, Mahamelo, Bhadarva Sud Teras, 27.09.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *