સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઈન્દ્રાજપુર ગામ ખાતે સાબરમતી નદીના રમણીય કિનારા પર આદેશધામ મહાકાલ મંદિર નિર્માણ થયું છે, જેને મીની ઉજ્જૈન તરીકે પણ ઓળખવામાં આવે છે, આ મંદિરના ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો હતો, જેમાં આજે યજ્ઞના મંડપ પ્રવેશ સાથે ગુરુ ગોરક્ષનાથજી મહારાજની દિવ્ય પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સંતો મહંતો સહિત સમગ્ર તાલુકાના ગ્રામજનો જોડાયા હતા.
આ ત્રિદિવસીય કાર્યક્રમ 19 થી 21 જૂન દરમિયાન યોજાશે, જેમાં યજ્ઞ પૂજન સહિત ભવ્ય શોભાયાત્રા તથા શ્રી મહાકાલ મંદિર અને શ્રી રામદેવપીર ભગવાનના દિવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેમાં સમગ્ર ભારતભરના સંતો મહંતો તથા નાથ સંપ્રદાયના ગુરુશ્રીઓ જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી જગતસિંહ ઠાકોર તથા યજ્ઞના આચાર્યશ્રી શૈલેષભાઈ પંડ્યા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Aadesh Dham Mahakal Mandir Mini Ujjain Pran Pratishtha Mahotsav indrajpur Prantij


Aadesh Dham Mahakal Mandir, Mini Ujjain, Pran Pratishtha Mahotsav, indrajpur, Prantij,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed