ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના શબ્દલ્પુરા ગામ ખાતે ઐતિહાસિક શ્રી રામજી મંદિર આવેલું છે, જ્યાં કહેવાય છે કે ભગવાન શ્રીરામ છેલ્લા ૧૫૦ વર્ષથી પણ વધારે સમયથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે તિથી મહોત્સવનો અનેરો મહિમા છે, જ્યાં ભગવાનના દ્વિતીય પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જે કાર્યક્રમ ૨૪ તથા ૨૫ એપ્રિલ એમ દ્વિદિવસિય હતો, જેમાં પ્રથમ દિવસે ભોજન પ્રસાદ સહિત રાત્રિના ભવ્ય રાસ ગરબાનુ આયોજન કરવામાં આવ્યું હતુ તથા દ્વિતીય અને અંતિમ દિવસે યજ્ઞ પૂજન સહિત પધારેલ મહેમાનોના સ્વાગત, પ્રધારેલ બહેન દીકરીઓનું સ્વાગત તથા ભગવાનને ૫૬ ભોગ અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો, જ્યાં પરમ પૂજ્ય સાયલા ના બાપુ દ્વારા સમગ્ર ગ્રામજનો તથા ભક્તોને આશીર્વાદ આપવામાં આવ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી બાબુભાઈ પટેલ તથા શ્રી ગીરીશભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramji Mandir Shabdalpura Mansa 2nd Patotsav 25.04.2023
Shree Ramji Mandir, Shabdalpura, Mansa, 2nd Patotsav, 25.04.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed