Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
અમદાવાદ : કાંકરીયાની આનંદ પાર્ક સોસાયટી ખાતે શ્રી મેઘાબેન જોગીના નિવાસ સ્થાને આબેહૂબ કોઠ ગણપતપુરાની થીમ પર ગણેશ મહોત્સવ - online gujarat news

સમગ્ર દેશમાં જ્યારે ધામધૂમથી ગણેશ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે આવ્યા છીએ, અમદાવાદના કાંકરિયા વિસ્તારની આનંદ પાર્ક સોસાયટી ખાતે જ્યાં શ્રી મેઘાબેન જોગીના નિવાસ્થાને એક અનોખી થીમ ઉપર શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ, ગણપતપુરાના સુપ્રસિદ્ધ અને ઐતિહાસિક શ્રી ગણેશજી થીમ પર ગણેશ સ્થાપના કરવામા આવી છે, જે ગણેશજીના દર્શન એટલે કે શ્રી કોઠ ગણેશજીના દર્શન એવા આબેહૂબ દ્રષ્ટિ ગોચર થાય છે, તથા ગણેશજીની સેવા પૂજા પણ એ જ રીતે થાય છે કે જેવી કોઠ મંદિરમા સેવા પૂજા અને નિયમો પાળવામા આવે છે, સમગ્ર ગણેશ મહોત્સવ દરમિયાન અહીંયા જુદા જુદા ઉત્સવ ઉજવવામાં આવે છે, એ જ રીતે આજરોજ ભવ્ય હવન પૂજનનુ આયોજન કરાયુ હતુ, અને ત્યારબાદ આરતી-પૂજન અને ભોગ કરીને હર્ષોલ્લાસ સાથે ગરબા રમીને ગણપત્તી બાપ્પાના ગુણગાન ગવાયા હતા અને ત્યારબાદ પધારેલ દરેક ભાવિક ભક્તોએ સુંદર ભોજન પ્રસાદનો આનંદ માણ્યો હતો.


કાર્યક્રમની સંપુર્ણ વિગત શ્રી મેઘાબેન જોગી તથા શ્રી હિરાલીબેન જોગી દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Megha Jogi Kankariya Arranged Koth Theme Ganesh Mahotsav 2022

Koth Theme Ganesh Mahotsav, Megha Jogi, Kankariya, Kankaria, Ahmedabad, Aanand Park Society, Gujarat, કાંકરિયા, અમદાવાદ, ગુજરાત, મેઘા જોગી, આનંદ પાર્ક સોસાયટી, કોઠ દર્શન,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *