મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કમાણા ગામ ખાતે શ્રી દશનામ પૂજનીક અખાડો મંગલભારતીજી નો સુંદર મઠ આવેલો છે, આ મઠ ના પરિસરમા શ્રી ભીમનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે, સાથોસાથ શ્રી ખેતપુરી મહારાજની જીવન સમાધિ સહિત અન્ય મહાન સંતોની સમાધિઓ પણ અહીંયા આવેલી છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ગુરુપૂર્ણિમાનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં આજરોજ ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારો ભાવિક ભક્તો હર્ષલ્લાસપૂર્વક ગુરૂ પૂજન તથા સંતવાણીનો લાભ લીધો હતો.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પ. પુ. મહામંડલેશ્વર મહંત શ્રી અમરભારતીજી બાપુ તથા કોઠારી શ્રી ધીરજભારતીજી બાપુ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree Dashnam Pujnik Akhado Mangalbhartiji Math Kamana Arranged Guru Purnima Mahotsav 2022


Shree Dashnam Pujnik Akhado Mangalbhartiji Math Kamana, Kamana, Visnagar, Mehsana, Guru Purnima Mahotsav 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *