તાલુકા જીલ્લા મહેસાણાના પાલોદર ગામ ખાતે શ્રી વાઘેશ્વરી અંબાજી માતાજીનુ ખૂબ જ ભવ્યાતિભવ્ય ગોલ્ડન ટેમ્પલ નિર્માણ પામ્યુ છે, જેમા બહારની બાજુમા તમામ 51 શક્તિપીઠની દેવીઓની મૂર્તિની કોતરણી પણ કરવામા આવી છે, આ દિવ્ય મંદિરનો ભવ્યતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાજેતરમાં યોજાઇ રહ્યો છે, જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 26 થી 28 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેમાં પ્રથમ દિવસે યજ્ઞશાળાનો પ્રારંભ થયો હતો તથા દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા અને તૃતીય દિવસે માતાજીની દિવ્ય મૂર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાશે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રોજ રાત્રીના સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના સાનિધ્યમા અંબાજી ગબ્બરની પ્રતિકૃતી તથા સમસ્ત ૫૧ શક્તિપીઠ દર્શનનુ પણ આયોજન કરવામા આવ્યુ છે.


કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિરના મંદિરનો ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી આ ગામના વિનોદભાઈ પટેલ તથા શ્રી બાબુભાઈ પંચાલ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો ગુજરાત ના નવા મંદિરોના કેમ્પેન હેઠળ આજે દિવ્ય દર્શન કરીએ શ્રી વાઘેશ્વરી અંબાજી માતાજી મંદિર, પાલોદરના


જુઓ સંપૂર્ણ એપિસોડ.

vagheshwari Ambaji Mandir Palodar, Mehsana

Shree Palodar Rajput Samaj tatha Samast Gramjano Arranged Shree Vagheshwari Ambaji Mataji Mandir Pran Pratishtha Mahotsav 2021

Shree Vagheshwari Ambaji Mandir, Pran Pratishtha Mahotsav, Palodar, Mehsana,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed