ગુજરાત ના મંદિરોના કેમ્પેઇન હેઠળ આજે આપણે આવ્યા છીએ બનાસકાંઠા જીલ્લાનાં કાંકરેજ તાલુકાના થરા શહેરમા જ્યાં અહીંયા થરાના એ. પી. એમ. સી. માર્કેટ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરનુ નિર્માણ થયુ છે, જેનો દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૫ થી ૨૭ ઓગસ્ટ સુધી યોજાયો હતો, જ્યાં મહાકાલના શિવલિંગની સાથોસાથ અન્ય ઘણા દેવીદેવતાઓની પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામા આવી હતી, જેમાં તાલુકાના હજારો દર્શનાર્થીઓની નવીન મંદિરના દર્શન અર્થે પધાર્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા મંદિર વિષેની માહિતી થરા એપીએમસીના ચેરમેન અને શિવભક્ત શ્રી અણદાભાઇ પટેલ દ્વારા આપવામા આવી હતી.
તો આવો પહેલા દર્શન કરીએ થરા ખાતે પ્રતિષ્ઠિત થયેલ શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરના
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Mahakal Navkhand Mahadev Pran Pratishtha Mahotsav at Thara APMC Market.