ગાંધીનગર શહેરના સેક્ટર 7 ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત ભારતમાતાનું ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણ પામ્યુ છે, જેનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨૫ થી ૨૭ ઓગસ્ટ દરમિયાન યોજાયો હતો, જેમાં દરરોજ સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતિમ દિવસે ભારતમાતાની મૂર્તિઓની સાથે અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં સંતો-મહંતો અને સન્માનીય અગ્રણીઓ સેંકડો ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી મંદિરના મુખ્ય દાતાશ્રી દિલીપભાઈ પટેલ, પ્રાંત મંત્રીશ્રી પટેલ તથા વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. સુરેન્દ્રકુમાર જૈન દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Murti Pran Pratishtha of Shree Bharat Mata Mandir at Gandhinagar with blessing of Vishw Hindu Parishad 27.08.2021