મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દગાવાડીયા ગામ ખાતે શ્રી શેટલાવીર મહારાજનુ ખુબજ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં વીર મહારાજ ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા બિરાજમાન છે, આ મંદિર ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક છે, જેમાં સમસ્ત ગ્રામજનો ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે. કોરોના મહામારીને અનુલક્ષીને સરકારશ્રીની ગાઈડલાઈન્સ પ્રમાણે મંદિર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું, તે આજ રોજ દશ મણ જેટલા લોટ નો પ્રસાદ કરીને ફરીથી ખુલ્લુ મુકવામાં આવ્યું હતુ, જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાઈને, દાદાની આરતી પૂજા તથા દર્શનનો લ્હાવો લીધો હતો.
મંદિર તથા મંદિર ના ઇતિહાસ વિશેની માહિતી ગામના શ્રી રામભાઈ ચૌધરી, શ્રી નારણભાઈ ચૌધરી તથા શ્રી શંભુભાઈ ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.
તો આવો દિવ્ય દર્શન કરીએ વિજાપુરના દગાવાડીયા ખાતે બિરાજમાન શ્રી શેટલાવીર મહારાજના
જુઓ સંપૂર્ણ એપિસોડ.
શ્રી શેટલાવીર કો. ઓ. સોસાયટી લી. સંચાલિત શ્રી શેટલા વીર મહારાજના દિવ્ય દર્શન
Shree Shetlavir Co. So. Ltd. Organized Divya Darshan of Shree Shetlavir Maharaj
Mehsana, Dagavadiya, Vijapur, Shetlavir Maharaj Mandir, Shetlavir maharaj,