અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આંબલીયારા ખાતે શ્રી લિંબચીયા સમાજ સવાસો જૂથ મંદિર ટ્રસ્ટ સંચાલિત શ્રી રાજ રાજેશ્વરી લીમ્બચ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા વર્ષ દરમ્યાન અનેકવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે સમૂહ લગ્નોત્સવ, મહા સુદ પૂનમે માતાજીની તિથિ પ્રમાણે પાટોત્સવ, નવરાત્રી મહોત્સવ અને બીજા ઘણા ઉત્સવો કરવામાં આવે છે.


એ જ પ્રમાણે આજરોજ માતાજીના દિવ્ય ૨૨મા પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, તે નિમિત્તે મંદિરે નવચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજ બંધુઓ હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


કાર્યક્રમની વિગત તથા સંસ્થા વિશેની માહિતી પ્રમુખ શ્રી સી. બી. પારેખ, મંત્રી શ્રી વસંતભાઈ પારેખ તથા પૂર્વ પ્રમુખ શ્રી એસ. બી. પારેખ દ્વારા આપવામાં આવી હતી.


તો આવો મહા સુદ પુનમના દિવ્ય પાટોત્સવના દિવસે કરીએ આંબલીયારા ના શ્રી લિમ્બચ માતાજીના દિવ્ય દર્શન


જુઓ સંપૂર્ણ એપિસોડ

શ્રી લિંબચીયા સમાજ સવાસો જૂથ મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજિત
શ્રી રાજ રાજેશ્વરી લિંબચ માતાજીના ૨૨મા પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ ૨૭.૦૨.૨૦૨૧

Shree Limbachiya Samaj Savaso Juth Mandir Trust Ambaliyara arranged 22nd Patotsav of Shree Limbach Dham 27.02.2021

શ્રી લિંબચીયા સમાજ સવાસો જૂથ મંદિર ટ્રસ્ટ, બાયડ, અરવલ્લી, આંબલીયારા,
શ્રી લિંબચ માતાજી મંદિર આંબલીયારા, ૨૨મો પાટોત્સવ, નવચંડી યજ્ઞ, ૨૭.૦૨.૨૦૨૧, Shree Limbachiya Samaj Savaso Juth Mandir Trust, Ambaliyara, bayad, arvalli, Ambaliyara, 22nd Patotsav, Shree Limbach Mataji mandir Ambaliyara, 27.02.2021

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed