અમદાવાદના ચમનપુરા વિસ્તાર માં અસામાજિક તત્વો દ્વારા નજીવી તકરાર માં જમવા ગયેલા કોન્સ્ટેબલ અને તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો, જેમાં કોન્સ્ટેબલનું મૃત્યુ નીપજયું હતું તથા તેનો મિત્ર ત્યાંથી ભાગી છૂટતા તે બચી ગયો હતો. તેના મીત્ર દ્વારા ફરિયાદ ના આધારે શાહીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શાહીબાગ વિસ્તારની કે. જે. કડિયાની ચાલીમાં રહેતા અને પૂર્વ મહિલા મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ શ્રી રવીન્દ્ર જાડેજા તેના મિત્ર ધવલ સોલંકી સાથે ગત તારીખ ૨૩.૦૨.૨૦૨૦ને સાંજના સાત વાગ્યાની આસપાસ ડો. આંબેડકર બ્રિજના છેડે રેન બસેરા પાસે જમવા ગયા હતા. ત્યારે ચાઇના ગેંગના ૪ થી ૫ જેટલા અસામાજિક તત્વો એ આવીને પોલીસ કોન્સ્ટેબલને કહ્યુ હતુ કે ” તુ મને ઓળખે છે?” તેમ કહી તકરાર કરી હતી અને ચપ્પુ વડે બન્ને પર હુમલો કર્યો હતો. જેમાં ધવલને ચપ્પુના ત્રણ ઘા વાગ્યા હતા પણ એ નાસી જતાં બચી ગયો હતો જ્યારે કમરની ગાદીના ઓપરેશનને કારણે કોન્સ્ટેબલ રવિન્દ્ર દોડી ન શકતા આ અસામાજિક તત્વો દ્વારા આઠ થી વધારે ઘા મારીને તેને ઢાળી દીધો હતો જ્યાં ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ નીપજયું હતું.

 

#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.

https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA

www.onlinegujaratnews.co.in

Call 9376594765 for Media Coverage and Programs near you.

Online Gujarat News
Motera, #Ahmedabad.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *