કનીજ ગામે ઉજવાયો કડવા પાટીદાર સમાજનો ૧૯મો ભવ્ય સ્નેહ મિલન સમારોહ.
ખેડા જીલ્લાના મહેમદાબાદ તાલુકાના કનીજ ગામના શ્રી કનીજ કડવા પાટીદાર બંધુ સમાજ દ્રારા ૧૯મા સ્નેહ મિલન સમારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા વડીલોના સન્માન, વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તથા રમતગમતના કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. ત્યારબાદ સાંજે ભોજન સમારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ, કાર્યક્રમમા ગામના સમસ્ત કડવા પાટીદાર સમાજના સેંકડો ભાઇઓ, બહેનો તથા ભૂલકાઓ જોડાયા હતા.
સમિતિ દ્રારા સામાજિક પ્રવૃતિઓને વેગ મળે એ રીતે અવિરત આવા સામાજિક ઉત્થાનના કાર્યક્રમો દર વર્ષે યોજવામા આવે છે.
સંસ્થા દ્રારા આવનાર વર્ષ કે જેમા ૨૦ વર્ષ પુર્ણ થતા હોવાથી, દ્રિતિય દ્રિદશાબ્દી મહોત્સવ વિશેષંક તથા ચતુર્થ પરિચય પુસ્તિકાનુ વિમોચન કરવામા આવ્યુ હતુ.
સંસ્થા વિષેની સંપુર્ણ માહીતી તથા સામાજિક સંદેશ, સંસ્થાના આગેવાનો તથા મહિલાઓ દ્રારા આપવામા આવી હતી.
જુઓ સંપુર્ણ એપિસોડ.
#OnlineGujaratNews
#GujaratNews
Please subscribe Channel “Online Gujarat News” and Press Bell Button.
https://www.youtube.com/channel/UCXv88NJudxFqyLNge-BEBtA
www.onlinegujaratnews.co.in
Call 9376594765 for Media Coverage and Programs near you.
Online Gujarat News
Motera, #Ahmedabad.