અમદાવાદના સોલા વિસ્તારમા એસજી હાઇવે ઉપર શ્રી બહુચર માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે, જેને બાલા બહુચર શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે, મંદિર દ્વારા વર્ષ દરમ્યાન ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવે છે, આજરોજ માગશર સુદ બીજ નિમિત્તે કે જેને બહુચર માતાજી નો પ્રગટ્યોત્સવ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે, ત્યારે બાલા બહુચર માતાજી સોલા મંદિરે પણ ભવ્ય પાટોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે સવારે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ભવ્ય અન્નકૂટ દર્શન પણ યોજાયો હતો, ત્યાર બાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે રસ-રોટલી નો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમની માહિતી શ્રી બાલા બહુચર માતાજી શક્તિપીઠ ટ્રસ્ટ, સોલા ના પ્રમુખ શ્રી બેચર દાસજી ઊર્જા દ્વારા આપવામાં આવી હતી

જુઓ સંપૂર્ણ એપિસોડ.

શ્રી બહુચર માતાજી મંદિર, સોલા, અમદાવાદ દ્વારા આયોજિત
માગશર સુદ બીજના નિમિત્તે ભવ્ય પાટોત્સવ ૨૮.૧૧.૨૦૧૯

Shree Bala Bahuchar Mataji Shakti Peeth Sola Ahmedabad arranged Bhavya Patotsav on Magshar Sud Beej 28.11.2019

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed