અમદાવાદ જીલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ખાતે શ્રી મેરુ માનતુંગ ભવ્યધામ જૈન તીર્થ આવેલુ છે, જ્યાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન, શ્રી આદિનાથ ભગવાન તથા શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમાઓમા બિરાજમાન છે, મહા વદ છઠનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં દર વર્ષે આ દિવસની તિથી પ્રમાણે દાદાની સાલગીરી ઉજવવામાં આવે છે, એ જ રીતે આજરોજ દ્વિતીય સાલગીરીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ભગવાન પર અઢાર અભિષેક ચડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભાવિક ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી લલિત સૂરીશ્વરજી મહારાજ સાહેબની દિવ્ય નિશ્રામા કરવામાં આવ્યું હતુ,


જૂઓ સંપૂર્ણ એપિસોડ

Shree Meru Mantung Bhavya Dham Arnej Celebrated 2nd Saalgiri on Maha Vad Chhath 22.02.2022


Shree Meru Mantung Bhavya Dham Arnej, Arnej, Dholka, Ahmedabad, 2nd Saalgiri, Maha Vad Chhath, 22.02.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed