અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના મદ્રીસણા ગામ ખાતે રબારીવાસમાં સમસ્ત લોઢા પરિવાર દ્વારા માતાજીનું ખૂબ જ સુંદર નવું મંદિર નિર્માણ કરવામા આવ્યુ છે, જે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમાં સવારે ભવ્ય શોભાયાત્રા, યજ્ઞ પૂજન તથા સંતો મહંતોના સન્માન સમારોહ તથા ૧૨.૩૯ ના સમયે માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં શ્રી જોધ માતાજી, શ્રી વિસત માતાજી, શ્રી મહાકાળી માતાજી, શ્રી મેલડી માતાજી તથા શ્રી સિકોતર માતાજીની દિવ્ય પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, તથા મંદિર ખાતે ધ્વજા આરોહણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈને માતાજીના નિજ મંદિરના દર્શન કરીને ભોજન પ્રસાદનો લાહવો માણ્યો હતો.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગોવિંદભાઈ દેસાઈ તથા શ્રી અમૃતભાઈ દેસાઈ દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ભુવાજી શ્રી નારણભાઈ દેસાઈ સહિત સમગ્ર ગ્રામજનો અને પરિવારજનો હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Samast Lodha Parivar Madrisana Arranged Pran Prtishtha Mahotsav of New Temple at Rabari Vaas Madrisana Detroj 21.04.2024


Samast Lodha Parivar, Madrisana, Pran Prtishtha Mahotsav, New Temple, Rabari Vaas, Madrisana, Detroj, 21.04.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *