તાલુકા જિલ્લા ગાંધીનગરના ઝુંડાલ ગામ ખાતે બહેનો અને ભાઈઓના શ્રી નરનારાયણ દેવ દેશ તાબાના ખૂબ જ સુંદર શ્રી સ્વામિનારાયણ મંદિર આવેલા છે, જ્યાં ભાઈઓના નુતન મંદિરને પાંચ વર્ષ થતાં તથા બહેનોના મંદિરને 20 વર્ષ થતાં અહીંયા ભાઈઓના મંદિરના પંચાબ્દી મહોત્સવ અને બહેનોના મંદિરના વિશાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જે નિમિત્તે અહીંયા પાંચ દિવસના કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે પોથીના મુખ્ય યજમાન શ્રી રાવજીભાઈ પટેલના નિવાસ્થાનેથી ભવ્ય પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
આ મહોત્સવ 23 થી 28 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં કથા મહોત્સવની સાથોસાથ અનેકવિધ સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની સંપૂર્ણ વિગત મંદિરના કોઠારી શ્રી હિતેશભાઈ પટેલ તથા પોથીના મુખ્ય યજમાન શ્રી રાવજીભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Bhavya Mahotsav at Shree Swaminarayan Mandir Zundal Gandhinagar
Bhavya Mahotsav, Shree Swaminarayan Mandir, Zundal, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed