ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નાસ્મેદ ગામ ખાતે શ્રી રથવાળા જોગણી માતાજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે, જ્યાં સમગ્ર ગ્રામજનોને માતાજી પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા છે, મંદિર ખાતે અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે ગત વર્ષે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આવર્ષેની તિથિ પ્રમાણે માતાજીના ભવ્ય પ્રથમ પાટોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે માતાજીના નીજ મંદિર ખાતે નવચંડી યજ્ઞ તથા ભોજન પ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તથા સાંજે અને રાત્રિના ભવ્ય સંતવાણીનો સુંદર કાર્યક્રમ યોજાશે, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી રમેશજી ઠાકોર, શ્રી નટવરજી ઠાકોર તથા શ્રી સુરેશભાઈ જાની દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Rathvala Jogani Mataji Mandir Nasmed Celebrated 1st Patotsav 03.02.2024
Shree Rathvala Jogani Mataji Mandir, Nasmed, 1st Patotsav, 03.02.2024, Kalol, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *