Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ગાંધીનગર : બોરસદ તાલુકાના બનેજડા ગામેથી નીકળેલો અંબાજી પદયાત્રા સંઘ આજરોજ પાટનગર ગાંધીનગર હાથે પહોંચ્યો - online gujarat news

નવલી નવરાત્રી ની શરૂઆત આવતા મહિનેથી થઈ રહી છે ત્યારે અંબાજી માતાજીને આમંત્રણ આપવા માટે સમગ્ર ગુજરાતના અનેક ગામોમાંથી પદયાત્રા સંઘો અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે, એવો જ એક સંઘ જે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બનેજડા ગામેથી અમદાવાદ ગાંધીનગર હાઇવે પર પહોંચ્યો હતો, જે સંઘ નું છેલ્લા 13 વર્ષથી અવિરત આયોજન થાય છે, જેમાં આ વર્ષે 90 પદયાત્રીઓ જોડાયા હતા, જેમને સંઘના આયોજકો દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ, જેમકે રહેવા ખાવા તથા ચા નાસ્તા સહિતની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે, આ સંઘ 17.9.2023 થી બનેજડા ખાતેથી ઉપડ્યો હતો, જે 27.9.2023 ના રોજ અંબાજી ખાતે ધ્વજા આરોહણ કરીને બનેજડા પરત થશે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંઘના આયોજકશ્રી મહેશભાઈ ઠાકોર દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Banejada Ambaji Padyatra Sangh 2023
Banejada Ambaji Padyatra Sangh 2023, Banejada, Ambaji Sangh, Ambaji, Borsad, Anand,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *