ગાંધીનગર શહેરના સેક્ટર ૬ ખાતે આવેલા સંત શિરોમણી ભગવાનના સ્મૃતિ મંદિર ખાતે ઓમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય પ્રથમ સમૂહ લગ્ન મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં કુલ 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઇ હતી, ત્યારબાદ સત્કાર સમારંભ અને ભોજન સમારંભ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ તથા ભાવિક ભક્તો સહિત દાતાશ્રીઓ, મહેમાનશ્રીઓ તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ જોડાયા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ઓમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી જગદીશભાઈ પ્રિયદર્શી, મહામંત્રી શ્રી વિઠ્ઠલભાઈ પરમાર ખજાનચી શ્રી બાબુભાઈ પરમાર તથા શ્રી કાનજીભાઈ પરમાર દ્વારા આપવામાં આવી હતી, જ્યાં ટ્રસ્ટ સમગ્ર હોદ્દેદારશ્રીઓ તથા સંત શ્રી રોહિદાસ સેવા સમાજ ગાંધીનગરના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Om Charitable Trust Gandhinagar Arranged 1st Samuh Lagnotsav At Sant Shri Rohidas Smruti Mandir Sector 6 Gandhinagar


Om Charitable Trust, Gandhinagar, 1st Samuh Lagnotsav, Sant Shri Rohidas Smruti Mandir l, Sector 6, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *