ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોખાસણ ગામ ખાતે સુથારવાસમાં ઐતિહાસિક શ્રી નારશંગાવીર મહારાજનું સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે એ જ રીતે દર વર્ષે અહીંયા સમૂહ નવચંડી મહાયજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવે છે, તે જ રીતે આ વર્ષે પણ જયશ્રી નારશંગવીર ગજ્જર સુથાર યુવક મંડળ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેના ભાગરૂપે પ્રથમ દિવસે ગરબા તથા દ્વિતીય દિવસે ભવ્ય શોભાયાત્રા અને નવચંડી યજ્ઞ સહિત સુખડી પ્રસાદ ધ્વજા આરોહણ તથા ભોજન મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે સમગ્ર સમાજ બંધુઓ તથા ભાવિક ભક્તો જોડાયા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત અનિલભાઈ ગજ્જર તથા શ્રી જીતુભાઈ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Narsanga Veer Mandir Suthar vas Mokhasan Celebrated 18th Samuh Navchandi Mahayagn 18.05.2023
Shree Narsanga Veer Mandir, Suthar vas, Mokhasan, Kalol, Gandhinagar, 18th, Samuh Navchandi Mahayagn, 18.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed