અમદાવાદના સાબરમતી વિસ્તારમા જય જગદંબા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અનેકવિધ ધાર્મિક ઉત્સવો તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, એ જ રીતે દર વર્ષે સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે, આજરોજ એ જ રીતે 20માં વાલ્મિકી સમાજના ભવ્ય સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમા સવારે જાન આગમન બાદ લગ્ન વિધિ યોજાઈ હતી, ત્યારબાદ સરકાર સમારંભ યોજીને દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી. જેમા હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજબંધુઓ જોડાયા હતા.
સમૂહ લગ્નના અંતિમ ચરણના સત્કાર સમારંભમાં અસારવા વિધાનસભાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા તથા અનેક રાજકીય તથા સામાજિક અગ્રણીઓ દ્વારા હાજર રહીને દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના પ્રમુખ શ્રી મણીલાલભાઈ તથા અસારવાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Jay Jagdamba Yuvak Mandal Trust Arranged 20th Samuh Lagnotsav at Sabarmati Ahmedabad on 02.05.2023
Jay Jagdamba Yuvak Mandal Trust, 20th Samuh Lagnotsav, Sabarmati, Ahmedabad, 02.05.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *