અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં એકતા જનકલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય ચોથા સમગ્ર અનુસુચિત જાતીના સમૂહ લગ્નનુ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 15 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા, આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સાંજે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી ત્યારબાદ મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓના ભવ્ય સ્વાગત વિધિ બાદ દીકરીઓને સુંદર કરિયાવર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી, જેમાં હર્ષ ઉલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ બંધુઓ જોડાયા હતા.
કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓમા માનનીય પૂર્વ મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર, અસારવાના ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા, કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા શ્રી શૈલેષભાઈ પરમાર તથા કૈયલ ધામના પરમવંદનીય શ્રી રમણ જય માડી તથા સામાજિક અગ્રણીઓ સહિત કાઉન્સિલર શ્રી ઓએ હાજર રહીને નવયુગલોને આશિષ આપ્યા હતા.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત તથા સંસ્થા વિશેની માહિતી પ્રમુખશ્રી બાબુભાઈ રૂપાલા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Ekta Jan Kalyan Seva Trust Arranged 4th Samuh Lagnotsav 30.04.2023
Ekta Jan Kalyan Seva Trust, 4th Samuh Lagnotsav, 30.04.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed