તાલુકા જિલ્લા ગાંધીનગરના ઇન્દ્રોડા ગામમાં ઐતિહાસિક એવું શ્રી ઇન્દ્રાણી માતાજીનું મંદિર આવેલું છે કહેવાય છે કે શ્રી ઈન્દ્રાણી માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમા માં ઇન્દ્રોડા ગામ ખાતે સદીઓથી બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે નવનિર્મિત મંદિરને પાંચ વર્ષ પૂર્ણ થતા અહીંયા માગશર વદ દશામના રોજ ભવ્ય પંચમ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી , જેના ભાગરૂપે નવચંડી યજ્ઞ તથા રાત્રિના ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં સમસ્ત ગ્રામજનો સહિત ભાવિક ભક્તો પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત ગામના શ્રી અશોકજી ઠાકોર, શ્રી મેલાજી ઠાકોર તથા શ્રી હસમુખકુમાર મકવાણા દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Indrani Mataji Mandir Indroda Gandhinagar Celebrated 5th Patotsav 18.12.2022
Shree Indrani Mataji Mandir Indroda, ઇન્ડ્રોડા, Indroda, Gandhinagar, Patotsav, 18.12.2022,