ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામમાં ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવજીનુ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શ્રાવણ માસનો અહીંયા અનેરો મહિમા છે, જ્યાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન સંપૂર્ણ માસ દરમિયાન કરવામાં આવે છે તથા શ્રાવણ મહિનાના અંતિમ દિવસે એટલે કે શ્રાવણ વદ અમાસના અહીંયા લઘુરુદ્ર યજ્ઞ તથા ભવ્ય ભજન સંધ્યાના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં બાપાસીતારામ ભજન મંડળ ન્યુ રાણીપ દ્વારા ભજનોની રમઝટ બોલવાઈ હતી જેમાં સમસ્ત ગ્રામજનો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.


મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની સંપૂર્ણ વિગત શ્રી વિશાલભાઈ સુવાડિયા, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી ઘનશ્યામભાઈ પટેલ તથા શ્રી ગૌરાંગભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vaijnath Mahadev Mandir Jaspur Arranged Bhavya Bhajan Sandhya on Shravan Vad Amas 27.08.2022

Shree Vaijnath Mahadev Mandir Jaspur, Jaspur, Gandhinagar, Kalol, Bhavya Bhajan Sandhya, Shravan Vad Amas, 27.08.2022,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed