Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
મહેમદાવાદ : નેનપુરના શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત જલારામ મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયુ - online gujarat news

ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના નેનપુર ગામ ખાતે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી જલારામ બાપાનું ખૂબ જ ભવ્ય અને સુંદર મંદિર આવેલું છે, જ્યાં શ્રી જલારામ બાપા ની દિવ્ય પ્રતિમાની સાથેસાથ અનેકવિધ દેવી-દેવતાઓની પણ સુંદર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે, મંદિર પરિસર માં વૃદ્ધાશ્રમ, કુદરતી ઉપચાર કેન્દ્ર તથા આયુર્વેદિક દવાખાનું પણ આવેલું છે, મંદિર ટ્રસ્ટ દ્વારા સવાર-સાંજ બંને ટાઈમ અન્નક્ષેત્ર ચલાવવામા આવે છે, આ તમામ પ્રકારની સેવા અને સગવડો ચલાવવા માટે કોઇ પણ પ્રકારનું દાન કોઈની પાસેથી માંગવામાં આવતું નથી, ભક્તો સ્વેચ્છાએ દાન દક્ષિણા આપે છે, જે દાનની રકમ સેક્શન 80G હેઠળ ઇન્કમ ટેક્સમાથી બાદ પણ મળે છે.


આજરોજ મંદિર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનુ આયોજન કરવામાં આવ્યું છે, જે કથા 21.09.2021 થી શરૂઆત થઈને 27.09.2021ના દિવસે વિરામ પામશે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી થતા કાર્યક્રમની વિગત શ્રી જલારામ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી રામચંદ્ર ઠક્કર દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Jalaram Seva Trust Nenpur Organized Shreemad Bhagvat Saptah 21.09.2021 Shree Jalaram Seva Trust Nenpur, Nenpur, Jalaram Mandir Nenpur, Kheda, Mahemdavad, Shrimad Bhagwat Saptah, Jalaram Nenpur

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *