શ્રી સુનીલકુમાર.એ.શાહ ૩૨, અંકિત સોસાયટી, ઘાટલોડિયા, અમદાવાદ ખાતે ગણેશ ચતુર્થી ના દિવસે ભારે હર્ષોલ્લાસ અને આનંદ પૂર્વક ગણપતિ બાપ્પાની સ્થાપના કરીને બાપ્પાનું શોડશોપચાર પૂજન અર્ચન, થાળ, આરતી કરવામાં આવી હતી ત્યારે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. સોસાયટીના રહીશોએ અને સગાવહાલા ઓ એ પણ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહીને આ ઉત્સવમાં ઉમરકાભેર ભાગ લઈ ને બાપ્પાનું પૂજન અર્ચન કરું હતું. મિતભાઈ અને પ્રિયાબેને કોરોના, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, વાઇરસ, નામની હાલમાં ચાલી રહેલી મહામારી માંથી ગુજરાત અને ભારત દેશને બચાવવા માટેની બાપ્પા સમક્ષ પ્રાર્થના કરી હતી. આ શુભ પ્રસંગે કોરાના નામની મહામારી માંથી બચવા માટે સેનેટાઈઝર, માસ્ક અને હેન્ડ ગ્લોઝ ની વ્યવસ્થા રાખીને સોશિયલ ડિસ્ટન્સ નો ચુસ્ત પણે અમલ કરવામાં આવ્યો હતો.
જુઓ સંપૂર્ણ એપિસોડ