અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના વાંચ ગામમાં સુંદર શ્રી રામદેવપીર મહારાજનુ મંદિર આવેલું છે, મંદિરમાં શ્રી રામદેવજી મહારાજ ખૂબ જ અદભૂત અને દિવ્ય પ્રતિમા બિરાજમાન છે, મંદિરમાં દરરોજ ભજન કીર્તન નું આયોજન કરવામાં આવે છે, તથા રોજ ગામના શ્વાનો માટે સદાવ્રત ચલાવવામાં આવે છે, અત્યારે અહીંયા રામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે નવેનવ દિવસ સંત વાણીનો કાર્યક્રમ યોજાયો હતો, તથા ભાદરવા સુદ નોમ ના શુભ દિવસે સવારે ભવ્ય નેજા ઉત્સવ ઉજવી ને રાત્રિના 33 જ્યોત નો પાઠ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત અમદાવાદ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કાંતિજી ઠાકોર તથા ગામના સરતાનજી જીવાજી અને જશવંતભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Ramdevpir Mandir Vanch Arranged 33 Jyot Path on Bhadrva Sud Nom 15.09.2021

શ્રી રામદેવપીર મંદિર વાંચ, વાંચ, દસકોઈ, અમદાવાદ, 33 જ્યોત નો પાઠ, રામદેવ નવરાત્રી મહોત્સવ, સંતવાણી, Shree RamdevPir Mandir Vanch, vanch, dascroi, Ahmedabad, Ramdev Navratri Mahotsav, 33 Jyot Paath.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *