અમદાવાદના થલતેજ વિસ્તારમાં ભવ્યતિભવ્ય શ્રી સાંઈ ધામ મંદિર આવેલું છે, જ્યાં શ્રી સાંઈબાબાની સાથોસાથ અનેક વિધ દેવી-દેવતાઓના મંદિરો પણ આવેલા છે, મંદિર સંકુલમાં ભવ્યાતિભવ્ય જન્માષ્ટમી મહોત્સવનુ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃષ્ણ જન્મ વખતે મહા આરતી તથા મહાપુજા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ભક્તો જોડાયા હતા.
કાર્યક્રમની સંપુર્ણ વિગત તથા મંદિર વિશેની માહિતી મંદિરના મહંત વૈષ્ણવ સમ્રાટ શ્રી મોહનદાસજી મહારાજ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ
Shree Saidham Thaltej Arranged Shree Krishna Janmashtami Mahotsav 2021