ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામા અઢાણા ગામ આવેલુ છે, જ્યાં એકપણ મહાદેવજીનુ મંદિર ન હોવાને કારણે સમસ્ત ગ્રામજનોની દિવ્ય પ્રેરણાથી શ્રી અમરનાથ મહાદેવજી મંદિરનુ નિર્માણ કરવામા આવ્યું છે, જે મંદિરનો ભવ્યાતિભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજરોજ યોજાયો હતો, જેમા સમસ્ત કાર્યક્રમ દરમ્યાન પ્રથમ દિવસે શોભાયાત્રા તથા દ્વિતીય દિવસે યજ્ઞ પૂજન તથા તૃતીય દિવસના રોજ શિવલિંગ પ્રતિષ્ઠા અને યજ્ઞ પૂર્ણાહુર્તિ કરવામા આવી હતી. જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ગ્રામજનો જોડાયા હતા, મહોત્સવ દરમ્યાન રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત ગામના સરપંચ શ્રી ગમુજી ઠાકોર તથા કલ્પેશજી ઠાકોર દ્વારા આપવામા આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ.
Samast Adhana Gramjano Arranged Pran Pratishtha Mahotsav of Shree Amarnath Mahadev 20.08.2021