કોરાના વાયરસ દ્વારા સમગ્ર વિશ્વને ભરડામા લેવામા આવ્યુ છે, ત્યારે ભારતમા બીજા દેશો કરતા કોરાનાની ઓછી, પણ અસર છે ખરી, કોરોના ને લીધે સમગ્ર ભારતભરમા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૨૧ દિવસનુ લોકડાઉન આપવામા આવ્યુ છે, ત્યારે આ સમય મર્યાદા તારીખ ૧૪.૦૪.૨૦૨૦ના રોજ પૂર્ણ થઈ રહી છે, જે દિવસે મહાનાયક અને બંધારણના ઘડવૈયા ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતિ છે.
અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી સામુહિક મહાનગર યાત્રા સમિતિ દ્વારા છેલ્લા ૩૭ વર્ષથી અવિરત હાથી ઘોડા સાથે ભવ્યાતિભવ્ય મહાનગર યાત્રા નીકળે છે, જે આ કપરા લોકડાઉનના સમયને કારણે મોકૂફ રાખવામા આવેલ છે.
જેની સંપૂર્ણ વિગત સમિતિના અધ્યક્ષ તથા પૂર્વ કાઉન્સિલર શ્રી મંગલ સુરજકર દ્વારા આપવામા આવ્યો.
www.onlinegujaratnews.co.in તથા
http //youtube.com/OnlineGujaratNews
તો સબ્સક્રાઇબ કરો યુટ્યુબ પર ઓનલાઈન ગુજરાત ન્યુઝ