Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
દિયોદર : સરદારપુરા (૨) ગામ ખાતે શ્રી ચેહર ધામ મંદિરના ભવ્યાતીભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ - online gujarat news

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સરદારપુરા (૨) ગામ ખાતે ભવ્યાતિભવ્ય શ્રી ચેહર ધામ નિર્માણ પામ્યું છે, જેનો નવ્ય દિવ્ય અને ભવ્ય ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ૨ મે દરમ્યાન યોજા છે, જેનો આજે શુભારંભ થયો હતો તે નિમિત્તે આજે ભવ્ય યજ્ઞશાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જલયાત્રા પછી પધારેલ મહેમાન શ્રી તથા સંતો મહંતો અને ભુવાજી નો સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે સમસ્ત ભાવિક ભકતો જોડાયા હતા.
આવતીકાલે ૩ મેના રોજ ભવ્ય શોભાયાત્રા બાદ રાત્રીના ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો શ્રી ગીતાબેન રબારી તથા શ્રી દેવાયત ખાવડ દ્વારા ભવ્ય લોક ડાયરાની રમઝટ બોલાવવામાં આવશે. ત્યારબાદ તૃતીય અને અંતિમ દિવસે ભવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને રાત્રીના રમેલ નું આયોજન કરવામાં આવ્યું છે.
મંદિર તથા મંદિરના ઈતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગતો શ્રી કનુભાઇ દેસાઇ તથા શ્રી વાલજીભાઈ દેસાઇ દ્વારા આપવામાં આવી હતી.


જુઓ સંપૂર્ણ એપિસોડ.

Shree chehar Dham Sardarpura Deodar arrange Pran Pratishtha Mahotsav 2022

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *