ગાંધીનગર શહેરના સેક્ટર ૫મા શ્રી ખોડિયાર માતાજીનુ સુંદર મંદિર આવેલુ છે, જ્યાં શ્રી ખોડિયાર માતાજી ખૂબ જ દિવ્ય અને તેજોમય પ્રતિમમા બિરાજમાન છે, સાથોસાથ શ્રી મોંગલ માતાજી, શ્રી આવડ માતાજી, શ્રી કરણી મતાજી, શ્રી સોનલ માતાજી તથા શ્રી સધી માતાજી પણ બિરાજમાન છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવો ઉજવવામા આવે છે, એ જ રીતે આજરોજ ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા મહાયજ્ઞ, નિવેધ તથા ધજા ચઢાવવાનુ આયોજન કરવામા આવ્યુ હતુ, જેમા સર્વે માઈભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા હતા.
મંદિર તથા મંદિર ના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત મંદિરના શ્રી રામદાનભાઇ ગઢવી દ્વારા આપવામા આવી હતી.
તો આવો મહા સુદ આઠમને ખોડિયાર જયંતિના દિવસે દિવ્ય દર્શન કરીએ ગાંધીનગર સેક્ટર ૫ના આઈ શ્રી ખોડિયાર માતાજીના
જુઓ સંપૂર્ણ એપિસોડ
આઈ શ્રી ખોડિયાર મંદિર સેક્ટર ૫ ગાંધીનગર આયોજીત શ્રી ખોડિયાર જન્મ જયંતિ મહોત્સવ ૨૦.૦૨.૨૦૨૧
Aai shree Khodiyar Mataji Mandir Sector 5 gandhinagar arranged Shree Khodiyar Janm Jayanti Mahotsav 20.02.2021