મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામ ખાતે સિદ્ધરાજ સોલંકી યુગનું એવું ઐતિહાસિક શ્રી વૈજનાથ મહાદેવજીનું અતિભવ્ય મંદિર આવેલું છે, જેના દિવ્ય સાનિધ્યમાં અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે શિવરાત્રી લઈને અહીંયા ભવ્યથી ભવ્ય અતિ રુદ્ર મહાયજ્ઞ નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા 25 કુંડીય મહાયજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં યજમાનશ્રીઓ તથા ભાવિક ભક્તો જોડાયા છે.

આ અતિરુદ્ર મહાયજ્ઞ 3 થી 7 માર્ચ 2024 દરમિયાન યોજાશે, જેમાં અનેકવિધ ધાર્મિક તથા સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામા આવ્યુ છે, જેની સંપૂર્ણ વિગત ગામના શ્રી રોહિતભાઈ પ્રજાપતિ તથા શ્રી જીગ્નેશભાઈ પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી.

જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Vaijnath Mahadev Mandir Asoda Vijapur Arranged Atirudra Mahayagn on Shivratri Mahotsav 2024
Shree Vaijnath Mahadev Mandir, Asoda, Vijapur, Atirudra Mahayagn, Shivratri Mahotsav, 2024,

#Atirudra #VaijnathMahadev #Asoda

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *