તાલુકા જિલ્લા ગાંધીનગરના શેરથા ગામ ખાતે મોટા ઠાકોરવાસમાં આઈ શ્રી ખોડીયાર માતાજીનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેક રીતે ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે મહાસુદ આઠમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના પ્રાગટ્ય મહોત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે માતાજીના નિજ મંદિર ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ તથા સાંજે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના મંદિરના દર્શન કરીને મહાપ્રસાદનો લાહવો માણ્યો હતો,
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી ગુલાબજી ઠાકોર સહિત અન્ય ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ


Aai Shree Khodiyar Mataji Mandir Shertha Celebrated Aai Shree Khodiyar Pragatya Mahotsav on Maha Sud Aatham 17.02.2024


Aai Shree Khodiyar Mataji Mandir, Shertha, Aai Shree Khodiyar Pragatya Mahotsav, Maha Sud Aatham, 17.02.2024,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *