Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
ઊંઝા : વિસનગર તાલુકાના તરભ ગામે યોજાનાર શ્રી વાળીનાથ મહાદેવની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શિવલિંગની શિવયાત્રાનુ આજરોજ ઊંઝા ખાતે આગમન - online gujarat news

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામ ખાતે શ્રી વાળીનાથ મહાદેવજીનું ખૂબ જ સુંદર અને ઐતિહાસિક મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય પરિસર ખાતે ભવ્ય શિવ મંદિરનુ નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં સમગ્ર ગુજરાતના બીજા નંબરના સૌથી મોટા શિવલિંગની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 16 થી 22 ફેબ્રુઆરી 2024 દરમિયાન ઉજવવા જઈ રહ્યો છે, જે નિમિત્તે એ શિવલિંગની પરિભ્રમણ શિવયાત્રા સમગ્ર 12 જ્યોતિર્લિંગ અને સમગ્ર ગુજરાતમાં ફર્યા બાદ આજરોજ ઊંઝા શહેર ખાતે પહોંચી હતી, જ્યાં ઊંઝા તાલુકા તથા શહેરના રબારી ભાઈઓ અને નગરજનો દ્વારા શિવયાત્રા તથા પરમ પૂજ્ય જયરામગીરી બાપુ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતું, જેમાં હર્ષોલ્લાસ સાથે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
આ મહા શિવલિંગની પૂજા અર્ચના નું પણ ઉમિયા માતા મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું અને ત્યારબાદ સમગ્ર ભાવિક ભક્તોના ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
કાર્યક્રમની સંપૂર્ણ વિગત પરમ પૂજ્ય શ્રી જયરામ ગીરીબાપુ, શ્રી દિનેશભાઈ દેસાઈ તથા શ્રી નાગજીભાઈ દેસાઈ અને બળદેવભાઈ દેસાઈ સહીત અને અન્ય મિત્રો દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Valinath Mahadev Tarabh Shivyatra Reached at Unjha
Valinath Mahadev Tarabh Shivyatra Reached at Unjha

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *