Deprecated: Optional parameter $depth declared before required parameter $output is implicitly treated as a required parameter in /home/u203038138/domains/onlinegujaratnews.co.in/public_html/wp-content/themes/newsup/inc/ansar/newsup-custom-navwalker.php on line 43
કલોલ : નારદીપુરના સ્વામીશ્રી ૧૦૮ શ્રી અખંડાનંદ પરમહંસ સન્યાસ આશ્રમ ખાતે ગુરુગાદીની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી ઉમિયા માતાજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પંચકુંડી મહારુદ્ર યજ્ઞનુ આયોજન - online gujarat news

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે મેઈન રોડ ઉપર સ્વામી શ્રી ૧૦૮ શ્રી અખંડાનંદ પરમહંસ સન્યાસ આશ્રમ આવેલો છે, જ્યાં દેવાધિદેવ શ્રી મહાદેવનું ભવ્ય મંદિર આવેલું છે, મંદિરના દિવ્ય સાનિધ્યમાં ગુરુગાદીની પ્રાણ પ્રતિષ્ઠા તથા શ્રી ઉમિયા માતાજીના નવીન મંદિર અને ભોજનાલય, સત્સંગ હોલ, યજ્ઞશાળા સહિત અનેક નિર્મણો થયા છે, જેનો દિવ્ય અને ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો, જે નિમિત્તે અહીંયા પંચકુંડિય મહારુદ્ર યજ્ઞો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા ગ્રામજનો જોડાયા હતા.
આ ત્રીદિવસિય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી દરમિયાન યોજાશે, જેમાં મહારુદ્ર યજ્ઞની સાથો સાથ જલયાત્રા, શોભાયાત્રા, રાસ ગરબા તથા લોક ડાયરાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમની સંપૂર્ણ વિગત સંસ્થાના ટ્રસ્ટીમાંથી શ્રી ગોપાલભાઈ પટેલ, શ્રી શિવશંકરભાઈ પટેલ તથા શ્રી ભીખાભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Swami Shree 108 Shree Akhandanand Paramhans Sanyas Ashram Nardipur Arranged Pran Pratishtha Mahotsav of Gurugadi And Shree Umiya Mataji Mandir during 16th to 18th January 2024
Swami Shree 108 Shree Akhandanand Paramhans Sanyas Ashram Nardipur, Pran Pratishtha Mahotsav, Gurugadi, Shree Umiya Mataji Mandir, 16th to 18th January 2024, Kalol, Gandhinagar,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *