ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના રાંચરડા ગામમાં ઐતિહાસિક શ્રી નારસંગવીર દાદાનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, જેને સમારકામ કરીને અત્યારે સુંદર મંદિર નિર્માણ કરવામાં આવ્યું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ થાય છે, એ જ રીતે દિવાળી બેસતાવર્ષના પાવન પર્વનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં શ્રી નારસંગવીર ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું હતુ, જે ગરબા મહોત્સવ નવા વર્ષના દિવસે શરૂઆત થઈને સાતમ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ગામ ગરબો તથા અન્ય દિવસે બાધા તથા માન્યતાઓના ગરબા નું આયોજન કરવામાં આવે છે, જેમાં મંડળ દ્વારા ગુજરાતના ખ્યાતનામ કલાકારોનું મ્યુઝિકલ ગ્રુપ બોલાવવામાં આવે છે, જેઓ દ્વારા ભવ્ય રાસ ગરબા ની રમઝટ બોલાવવામાં આવે છે, જેમાં સમગ્ર ગ્રામજનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા છે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત અને મંડળ વિશેની સંપૂર્ણ માહિતી શ્રી કિર્તીભાઈ પટેલ તથા શ્રી અશોકભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Naarsangveer Garba Mahotsav 2023 Rancharda Kalol
Shree Naarsangveer Garba Mahotsav, 2023, Rancharda, Kalol, Shree Narsangvir Mandir,

કલોલ :  રાંચરડા ખાતે આવેલા ઐતિહાસિક શ્રી નારસંગવીર દાદાના મંદિર ખાતે યોજાયો ભવ્ય શ્રી નારસંગવીર ગરબા મહોત્સવ ૨૦૨૩

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *