તાલુકા જિલ્લા ગાંધીનગર ના શાહપુર ગામ ખાતે લવારપુર હાઇવે ઉપર જ શ્રી મહાકાળી માતાજીનું ખૂબ જ ઐતિહાસિક અને સુંદર મંદિર આવેલું છે, મંદિર દ્વારા અનેકવિધ ધાર્મિક ઉત્સવોની ઉજવણીઓ કરવામાં આવે છે, એ જ રીતે આસો વદ સાતમનો અહીંયા ખૂબ જ રૂડો મહિમા છે, જ્યાં માતાજીના દિવ્ય પાટોત્સવની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે, એ જ રીતે આ વર્ષે પણ સુંદર ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મંદિરના દિવ્ય સાનિધ્યમાં ભવ્ય નવચંડી યજ્ઞ તથા સાંજે સમસ્ત ગ્રામજનો સહિત પધારેલ ભાવિક ભક્તોના ભોજન પ્રસાદ અને રાત્રિના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર ખુશ્બુબેન આસોડિયા દ્વારા ભવ્ય ગરબાની રમઝટ બોલાવવામાં આવશે, જેમા સમગ્ર ગ્રામ્ય જનો સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત શ્રી શક્તિભાઈ પટેલ તથા શ્રી મુકુંદભાઈ જાની દ્વારા આપવામાં આવી હતી.
જૂઓ સંપૂર્ણ એપિસોડ

Shree Mahakali Mandir Shahpur Gandhinagar Arranged patotsav on 04.11.2023
Shree Mahakali Mandir, Shahpur, Gandhinagar, patotsav, 04.11.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *