અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના વિરોચનનગર ગામ ખાતે વિરમગામ હાઇવે ઉપર જ ઐતિહાસિક શ્રી ખેતિયા નાગદેવ ભગવાનનું ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે, ભગવાનના સેવક તથા શ્રી વિરોચનનગર ગામના શ્રી વિક્રમસિંહ બારડ ની દિવ્ય પ્રેરણાથી મંદિર ખાતે નૂતન સુવર્ણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેના ભાગરૂપે અહીંયા મહાયજ્ઞ તથા 12:39 ના સમયે નિજ મંદિરમાં શ્રી નાગદેવતાની દિવ્ય અને સુવર્ણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
બપોર બાદ અહીંયા ધર્મ સભાનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં સમગ્ર ગુજરાતના સંતો મહંતો તથા ધર્મઆચાર્યો તથા રાજકીય અગ્રણીઓ પધાર્યા હતા.
મંદિર તથા મંદિરના ઇતિહાસ વિશેની સંપૂર્ણ માહિતી તથા કાર્યક્રમની વિગત પૌષલભાઈ મહારાજ તથા શ્રી વિક્રમસિંહ બારડ દ્વારા આપવામાં આવી હતી.
જુઓ સંપૂર્ણ એપિસોડ

Shree Khetiya Nagdev Mandir Virochannagar Arranged Gold Murti Pran Pratishtha Mahotsav 11.04.2023


Shree Khetiya Nagdev Mandir Virochannagar, Virochannagar, Sanand, Ahmedabad, Gold Murti Pran Pratishtha Mahotsav, 11.04.2023,

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed